1 પછી તેમાનના અલીફાઝે જવાબ આપ્યો કે,
2 “શું, હું તને એકાદ બે શબ્દ કહું તો તું સહન કરી શકીશ?
3 જો, તેં ઘણા લોકોને સલાહ આપી છે,
4 તારા શબ્દોએ પડતાને ઊભા કર્યા છે,
5 પરંતુ હવે જ્યારે મુશ્કેલીઓ તારે માથે આવી પડી છે,
6 દેવ પ્રત્યે તને ખરેખર વિશ્વાસ છે?
7 વિચારી જો, નિદોર્ષ લોકો કદી નાશ પામ્યા છે?
8 મને એવો અનુભવ છે કે, જેઓ પાપ અને અડચણો વાવે છે,
9 દેવની એક ફૂંકથી જ તેઓ ઊડી જાય છે,
10 દુષ્ટો બરાડા પાડે છે અને સિંહની જેમ ઘુરકે છે.
11 હા, તે દુષ્ટ લોકો, શિકાર શોધી ન શકે તેવા સિંહ જેવા છે.
12 “હમણા એક ગુપ્ત વાત મારી પાસે આવી,
13 જ્યારે માણસને રાત્રે નિદ્રા ઘેરી વળે છે
14 હું ભયથી જી ગયો
15 ત્યારે એક આત્મા મારા મોંને સ્પશીર્ને પસાર થઇ ગયો
16 તે સ્થિર ઊભો રહ્યો,
17 ‘શું માણસ દેવ કરતાં વધારે ન્યાયી હોઇ શકે?
18 જુઓ, તેને તેના સ્વર્ગના સેવકોમાં વિશ્વાસ નથી;
19 તો વસ્તુત: લોકો વધારે ખરાબ છે!
20 તેઓ સવારમાં જીવતા હોય છે પણ સાંજ પડતા તો મૃત્યુ પામે છે.
21 જો તેઓના તંબૂના દોરડાં ઉપર તાણ્યાં હોય