1 હે સર્વ પ્રજાજનો, તમે આ સાંભળો;
2 નિમ્ન કક્ષના કે ઉચ્ચકક્ષાનાં, શ્રીમંત કે દરિદ્રી, તમે સૌ માણસો મારા શબ્દો પર ધ્યાન આપો.
3 હું બુદ્ધિ વિષે મારા મુખેથી બોલીશ;
4 હું દ્રષ્ટાંત પર કાન લગાડીશ,
5 જ્યારે સંકટો આવે છે ત્યારે,
6 જેઓ પોતાની સંપત્તિ પર ભરોસો રાખે છે,
7 તેઓમાંનો કોઇ પોતાના ભાઇને કોઇ રીતે છોડાવી શકતાં નથી;
8 માનવ-જીવનની એટલી મોટી કિંમત છે
9 જેથી તે સદાકાળનું જીવન પામે,
10 બધા લોકો સાક્ષી છે કે વિદ્ધાન મૃત્યુ પામે છે,
11 તેઓ જમીનજાગીરને પોતાના નામથી ઓળખાવે છે,
12 માણસો ભલે ધનવાન હોય, પણ તેઓ અહીં કાયમ માટે રહેવાના નથી.
13 એવા મૂર્ખ લોકો જેમણે તેમની સંપત્તિનો વિશ્વાસ રાખ્યો હતો,
14 પેલા લોકો બરાબર ઘેટાઁ જેવાજ છે.
15 દેવ મને શેઓલની પકડમાંથી છોડાવશે કારણ કે
16 કારણ, તે લોકો ધનવાન છે, અને વૈભવી મકાનો ધરાવે છે
17 તેઓ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેઓ સાથે કશુંય લઇ જઇ શકશે નહિ
18 ધનવાન વ્યકિત તેના જીવનકાળ દરમ્યાન પોતાની જાતને મહાન ગણતી હશે,
19 પરંતુ આખરે તો તે પણ તેના પૂર્વજોની જેમ મૃત્યુ પામશે
20 જે વ્યકિત પાસે દુન્યવી વૈભવ છે, પણ આત્મિક સમજ નથી;