1 વળી અલીહૂએ આગળ અનુસંધાનમાં કહ્યું,
2 “જરા લાંબો સમય મને નિભાવી લે,
3 હું મારું જ્ઞાન એકેએક સાથે વહેચીશ, દેવે મારું સર્જન કર્યુ
4 હું તને જણાવું છું કે તે ખરેખર સત્ય છે
5 “દેવ મહા બળવાન છે, પણ એ કોઇનો તિરસ્કાર કરતા નથી.
6 એ દુષ્ટોને જીવતા રહેવા દેતા નથી;
7 જે સચ્ચાઇથી રહે છે, તે લોકો પર દેવ નજર રાખે છે.
8 તેથી જો લોકોને સજા થઇ છે,
9 અને દેવ તેને કહેશે, તેઓએ શું કર્યું હતું.
10 દેવ તેઓને પાપ કરવાનું મૂકી દેવાનો આદેશ આપશે
11 “તેઓ જો એનું માને અને એની સેવા કરે તો તેઓ તેમનું બાકીનું જીવન સમૃદ્ધિમાં ગાળશે.
12 પરંતુ જો તેઓ એનું ન માને તો તેઓ અજ્ઞાનમાંજ મૃત્યુ પામે
13 “લોકો જે દેવની ચિંતા કરતા નથી જ્યારે આખો વખત તેઓ દુ:ખી રહે છે.
14 તેઓ હજુ જુવાન હશે મરી જશે.
15 પણ દુષ્ટલોકોને તેઓના દુ:ખ દ્વારા નરમ બનાવે છે.
16 “તેણે તને દુ:ખમાંથી દૂર કર્યો છે, તેણે તને નિરાંતનું જીવન આપ્યું છે.
17 પરંતુ હવે અયૂબ, તું દોષિત ઠરાયો.
18 હવે તમે સાવધ રહેજો, જેથી સમૃદ્ધિ તમને ફોસલાવે નહિઁ,
19 સંકટમાં તારી અઢળક સમૃદ્ધિ તને શા કામની?
20 રાતે આવવાની ઇચ્છા કરતો નહિ.
21 અયૂબ, તેઁ ખૂબજ પીડા ભોગવી છે.
22 “દેવ પોતાના સાર્મથ્ય વડે મહિમાવાન કાર્યો કરે છે.
23 એમણે શું કરવું એ કોઇ એમને કહી શકે ખરું?
24 તેમણે પ્રતાપી કાર્યો કરેલા છે.
25 દેવે જે કાઇં કર્યુ છે તે બધાએ જોયું છે,
26 દેવ એટલાં મહાન છે કે આપણે તેમને સમજી શકતા નથી.
27 “દેવ, પૃથ્વી પરથી પાણીને ઊંચે લઇ જઇ
28 જે વાદળોમાંથી પૃથ્વી પર વરસે છે
29 દેવ કેવી રીતે વાદળો પાથરે છે,
30 જુઓ, દેવ પૃથ્વી પર વિજળી ફેલાવે છે
31 દેવ પોતાના અદ્ભૂત અંકુશ વડે, તે લોકો પર શાસન કરે છે
32 તેઓ પોતાના હાથથી વીજળીને પકડે છે
33 ગર્જના ચેતવણી આપે છે કે તોફાન નજીક આવી રહ્યું છે.