1 દુષ્ટ લોકો પ્રતિ ગુસ્સે થઇશ નહિ.
2 કારણ તેઓ તો ઘાસ અને લીલા છોડવા જેવાં છે
3 યહોવાનો વિશ્વાસ કર અને સત્કર્મ કર, તો તું તારા દેશમાં રહીશ
4 યહોવા સાથેના તારા સબંધોનો આનંદ માણ;
5 તું જે કંઇ કર્મ કરે તે સર્વ યહોવાને આધીન કર,
6 તે તારું ન્યાયીપણું પ્રભાતની જેમ પ્રકાશિત કરશે,
7 યહોવાની સમક્ષતામા શાંત થાં, અને ધીરજથી તેમની વાટ જો,
8 ખીજાવાનું બંધ કર. અને તારો ગુસ્સો ત્યાગી દે,
9 કારણ, દુષ્કમીર્ઓનો વિનાશ થશે.
10 થોડા સમયમાં દુષ્ટ લોકોનો જડમૂળથી નાશ થઇ જશે.
11 નમ્ર લોકોને દેશનું વતન પ્રાપ્ત થશે;
12 દુષ્ટો ન્યાયીઓની વિરુદ્ધ ખરાબ યુકિતઓ ઘડે છે
13 પ્રભુ જુએ છે કે તેમનો કાળ નજીક આવ્યો છે;
14 દુષ્ટોએ દરિદ્રી અને કંગાળનો, તથા સત્ય આચરણ કરનારનો સંહાર કરવા ખુલ્લી તરવાર લીધી છે,
15 તેઓની પોતાની જ તરવાર તેઓના પોતાના જ હૃદયને વિંધશે;
16 નીતિમાન લોકો પાસે જે અલ્પ છે,
17 કારણ, દુષ્ટ લોકોના હાથોની શકિતનો નાશ કરવામાં આવશે
18 યહોવાને યથાથીર્ઓના સર્વ પ્રસંગોની ખબર છે,
19 યહોવા તેઓની વિકટ સંજોગોમાં
20 પણ દુષ્ટો અને યહોવાના શત્રુઓ,
21 દુષ્ટો ઉછીનું લે છે ખરા પણ પાછું કદી આપતા નથી,
22 જેઓ યહોવાથી આશીર્વાદિત છે, તેઓ પૃથ્વીનું વતન પામશે,
23 યહોવા ન્યાયીને માર્ગ બતાવે છે, અને તેના પગલાં સ્થિર કરે છે.
24 તેઓ ઠોકર ખાશે છતાં પડશે નહિ,
25 હું જુવાન હતો અને હવે વૃદ્ધ થયો છું.
26 તે ન્યાયીઓ છે ઉદાર, તેઓ હંમેશા પોતાની પાસે જે છે તે છૂટથી બીજાને આપે છે.
27 ભૂંડાથી દૂર થા, અને ભલું કર;
28 કારણ, યહોવા ન્યાય અને પ્રામાણિકતાને ઇચ્છે છે
29 ન્યાયીઓ વતનનો વારસો પામશે,
30 ન્યાયીની વાણી ડહાપણ ભરેલી છે,
31 તેમનાં પોતાના હૃદયમાં યહોવાનું નિયંત્રણ છે,
32 દુષ્ટો સદા ન્યાયી માણસોની જાસૂસી કરે છે, અને તેઓને મારી નાખવાના લાગ શોધતાં ફરે છે.
33 પણ યહોવા દુષ્ટ માણસોના હાથમાં ન્યાયીઓને પડવા દેશે નહિ.
34 ધીરજથી યહોવાની રાહ જુઓ અને તેના માર્ગને અનુસરો, અને યહોવા તમને વિજયી કરશે
35 અનુકુળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની જેમ,
36 હું ફરી ત્યાં થઇને ગયો ત્યારે તે ત્યાં નહોતો;
37 હવે જે નિદોર્ષ છે તેનો વિચાર કરો. જે પ્રામાણિક છે તેનો વિચાર કરો.
38 પણ દુષ્ટો સમૂળગા વિનાશ પામશે,
39 યહોવા ન્યાયીઓનો ઉદ્ધાર કરે છે.
40 જે યહોવા પર ભરોસો રાખે છે, તેઓને તે દુષ્ટોથી છોડાવીને તારે છે;