1 પછી અયૂબના ત્રણ મિત્રોએ અયૂબને જવાબ આપવાનું મૂકી દીધુ કારણકે અયૂબને એટલો આત્મ વિશ્વાસ હતો કે તે પોતે સાચે નિદોર્ષ હતો.
2 પરંતુ રામના કુળનો બુઝનો વંશજ બારાકેલનો પુત્ર અલીહૂ અયૂબ પર ગુસ્સે થયો હતો, કારણકે અયૂબ પોતાને નિદોર્ષ અને દેવને દોષિત માનતો હતો.
3 વળી તેના ત્રણ મિત્રો વિરુદ્ધ પણ તેનો ક્રોધ ચઢયો, કેમ કે તેઓ તેની વાતોનો ઉત્તર આપી શક્યા નહોતા, તો પણ તેઓએ અયૂબને દોષિત ઠરાવ્યો હતો.
4 તેઓ બોલતા હતાં ત્યારે અલીહૂ બોલ્યા વિના બેસી રહ્યો હતો, કારણકે તેઓ એનાથી ઉંમરમાં મોટા હતા;
5 પણ જ્યારે એણે જોયું કે એ ત્રણેના મોંમા ઉત્તર નથી ત્યારે એને રોષ થયો હતો.
6 બુઝનો વંશજ બારાકેલના પુત્ર અલીહૂએ ઉત્તર આપતા કહ્યું કે:
7 મને લાગ્યું, ‘મોટેરાઓએ બોલવું જોઇએ,
8 પરંતુ માણસમાં રહેલો આત્મા વ્યકિતને ડાહ્યો બનાવે છે.
9 માત્ર મોટી ઉંમરવાળા બુદ્ધિમાન હોય છે, એમ નથી,
10 “માટે હું કહું છું કે, ‘મને સાંભળો;
11 જુઓ, જ્યારે તમે બોલતા હતા ત્યારે મેં રાહ જોઇ.
12 તમને મેં ધ્યાનથી સાંભળ્યા, પણ તમે કોઇએ અયૂબને ખોટો પાડ્યો નહિ.
13 તમે ત્રણ જણાઓ કહી ન શકો કે તમને જ્ઞાન મળ્યુ.
14 એ મારી સાથે દલીલમાં ઊતર્યો નથી,
15 “અયૂબ, તેઓ દલીલ હારી ગયા છે,
16 અયૂબ, તને જવાબ આપવા હું આ માણસોની રાહ જોતો હતો.
17 ના, હવે હું મારે જે કંઇ કહેવાનું છે તે કહીશ,
18 મારી પાસે ઘણી બાબતો કહેવા માટે છે
19 હું દ્રાક્ષારસની તે નવી બાટલી જેવો છું કે જે હજી ખોલી ન હોય.
20 મારું મન સ્વસ્થ થાય માટે મારે બોલવું જ જોઇએ,
21 હું કોઇનો પક્ષ નહિ લઉં,
22 મને પ્રશંસા કરતાઁ નથી આવડતું,